“ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું”
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો,
ઘેલી રાધા થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
મેં તો સુધબુધ ખોઈ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
ખુબ ખીલતી રહી ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
તેને નીરખી નિહાલ થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
જિંદગી જીવતી રહી ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
ખુદથી પરે થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
મારી મતિ મહેંકી ગઈ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
નિર્મળ નિર્લેપ થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
અંતર્જામી થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
જાતે જ્યોતિ થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
પિયુની પ્યારી થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
પારૂ “પિયુની” થઇ .
પારૂ કૃષ્ણકાંત “પિયુની”


ખૂબજ સરસ, પારુબેન. તમને પણ કૃષ્ણપ્રેમનો રંગ લાગ્યો.
“ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
પિયુની પ્યારી થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
પારૂ “પિયુની” થઇ .”
તમારા નામ અને ઉપનામનો સરસ ઊપયોગ કર્યો છે.
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
પારૂ “પિયુની” થઇ ……
AND…
Paru Krishna Krishna Kehati….KrushnakantNi Thai !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Paru..Thanks for your visits/comments on Chandrapukar !
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો,
ઘેલી રાધા થઇ ,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
મેં તો સુધબુધ ખોઈ,
પારુજીમાં રાધાજીની ઝલક દેખાઈ આજ મહત્વનું છે અને સમગ્ર કાવ્ય ..રાધામય જ ..ખૂબ જ ગમ્યું ..અને સુંદર ઐક્ય ..પરમ ઐક્ય ..પારુજીમાં રાધાજીની ઝલક દેખાઈ આજ મહત્વનું છે અને સમગ્ર કાવ્ય ..રાધામય જ ..ખૂબ જ ગમ્યું ..અને સુંદર ઐક્ય ..પરમ ઐક્ય ..આથી વધુ કયું ભાગ્ય..મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી …ગોપી પણ ધન્ય બની ગઈ માધવ હાથે લુટાવાની મસ્તી માણી ગઈ….
ચિત્ર પણ જ અદ્ભુત આપે રજુ કર્યું ..
પારૂબેન,
કૃષ્ણ વિષે લખવું હોય તો તેના માં લીન થવું પડે અને તોજ તેનો રસાસ્વાદ માણી શકાય છે અને તેની ભક્તિ માં ઓતપ્રોત થયા વગર તેની સુસંગતતા મેળવી શકાતી નથી. આજે તમે જે રીતે તમે ક્રિષ્ના ક્રિષ્ના કરતા રાધા બન્યા, જ્યોતિ બન્યા કે અંતર્જામી બન્યા એ તમારી ક્રિષ્ના પ્રત્યે ની પ્રેમ માં એકલય થઇ જવાની ઉત્કંઠા બતાવી તે વાંચી ને ખુબ ગમ્યું. હું પણ કૃષ્ણ ની ભક્તિ કરનારો છું એટલે કૃષ્ણ ભગત છું. એટલે મને બહુજ ગમ્યું છે.
res paruben,
ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો ,
ખુદથી પરે થઇ ,
very good ….
very nice !!!
nice
કવિતાના સ્વાંગમા મનની વાત?
Nice one…!
જો આટલા બધાં લોકો ઘેલાં થશેને તો ભુપેન્દ્રસિંહજી મશીનગન લઈને ત્રાટકશે – આ શું? તમે લોકોએ તો ભારતનું નખ્ખોદ વાળ્યું છે
Any way પારુજી મને પણ કૃષ્ણ ગમે છે – આપણે સાથે ઘેલાં થઈશું, કિર્તન કરશું, નૃત્ય કરશું, બાપુ આવશે તો બાપુનેય કહીશું તમેય હાલોને – થોડુંક નાચશો તો તમને ય રંગ લાગશે