સથવારો…. અમારો ૨૫ વર્ષોનો …..

સથવારો…. અમારો ૨૫ વર્ષોનો ….. !!!!! અરે હજી હમણાંજ તો જાણે પહેલીવાર મળ્યા હતા …. હજી હમણાંજ તો પહેલીવાર ….. બધીજ પહેલીવારની વાતો સ્મરણોમાં એવીજ તાજી … લીલીછમ ! અંતરની ભૂમિ એવીજ રસતરબોળ … અને તેમાં વ્હાલપની કુંપણો થતી રહે છે નવપલ્લિત ! કદાચ …. નવપલ્લિત રહેતી લાગણીઓના નરમકુણી અમરવેલ જેવા છોડવાઓને કારણેજ  જીવનમાં  ત્રાટકેલા વાવાઝોડાઓ પણ જીતી શકાયા હશે !!!!! લાગણીઓ જો મસ મોટું બરડ ઝાડવું હોત તો બટકીજ ગયું હોત ને ? મારા જીવનની સમજદારીના  ૨૫ વર્ષ …  હવેતો  એવુંજ કહી શકાય કે માતા પિતા સાથે રહ્યા તેથી વધુ એકમેકની સાથે રહ્યા !!!!!

આ અંગે કંઈ આવીજ ભાવનાઓ જાગે છે …….

” સથવારો ”

જો હોય વલ્લભનો સથવારો,
તો દુનિયા સુંદર લાગે છે,
રણમાં પણ હરિયાળી છાયે છે,
ને વેરાનો પણ સુંદર લાગે છે.
જાણું છું આ સંસાર ભારે છલનારો,
તોયે સઘળો સુંદર ભાસે છે,
સગાંઓ ને સંબંધોની ભુલભુલામણીમાં,
તારા હ્રદયનો રસ્તો સીધો ભાસે છે,
પીધું છે ઝહેર જાણીને સઘળા સંબંધોમાં,
એક તારીજ સોબત મધુરી લાગે છે !
જાણું છું મનુષ્ય થવાને ઓ ઈશ્વર,
વસવુજ પડે છે આ ધરતી પર,
તે પણ તો દેવલોકને પામવાને,
ટાંકણાનાં ઘાને ખમ્યાં છે !
જાણું છું ના અમર રહેતું કોઈ હંમેશા,
પરંતુ તારા વિનાનો સંસાર સુનો લાગે રે,
હંમેશા નિભાવી છે મેં દિલદારી,
પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
તારી બાંહોમાં સમાયીને,
તારાથી આગળ થાવું છે!
હોઠો પર રટણ શ્રીજીનું ને,
શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
મારે નિંદ્રાધીન થાવું છે .

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to સથવારો…. અમારો ૨૫ વર્ષોનો …..

  1. venunad કહે છે:

    દરેક હિન્દુ સ્ત્રિને આ ગમેછે, પારુબેન તમે સનાતન ભાવનામાં રાચ્યાછો.

    Like

  2. શ્રી પારુબહેન,

    પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
    તારી બાંહોમાં સમાયીને,
    તારાથી આગળ થાવું છે!
    હોઠો પર રટણ શ્રીજીનું ને,
    શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
    મારે નિંદ્રાધીન થાવું છે

    અરે વાહ તમે તો ગજબની પંક્તિઓ લખી છે.

    આપના લગ્નજીવનની રજત જયંતિ પસંગે હર્ષને અભિનંદનના વધામણાં.

    ડોક્ટર સાહેબને પણ વધામણાં પાઠવશો. વ્હાલી બહેનાને ખુબ અભિનંદન.

    Like

  3. chandravadan કહે છે:

    Paru….
    So December 6th is your Wedding Anniversary ?
    25 Years !…My Heartfelt CONGRATULATIONS to you & Krushnakant !
    Wish you have many more of Happy Married Life.
    Your Poem is filled your “deep Love & Feelings” and the the ending your Rachana with the “thoughts of Shreeji”touched me ! Human Life on this Earth had only REAL VALUE when there is the “Divinity” within. May you have good Health !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru….Mama is so happy to read the Post….I did not think of your Blog today…then as I was on Chandrapuikar….I thought about you…not seen you recently….then to your Blog & I read this Post. It must be God bringing me to your Blog in time to Congratulate you & Krushnakant.

    Like

  4. chandravadan કહે છે:

    Paru…I am back !
    I wanted to say “something” in Gujarati.
    And this is what I have to say>>>>>

    પારૂ અને ક્રુષ્ણકાંત અનેક વર્ષો પહેલા મળ્યા હતા,
    તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
    મળીને, પારૂ અને ક્રુષ્ણકાંત એકબીજાના દીલોમાં હતા,
    તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
    નથી પારૂ જાગતી કલ્પનાઓમાં કે નિંદરે સ્વપ્નમાં,
    તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
    તો હવે….
    ક્રુષ્ણકાંતમાં છે આનંદભરી પારૂ,
    ખરેખર, એવું પારૂજીવન છે ન્યારૂં !
    જેના જીવનમાં છે રટણ શ્રીનાથજીનું,
    ખરેખર,”ચંદ્ર-અભિનંદન” એણે સ્વીકારવું !
    તારીખઃ ડીસેમ્બર,૭,૨૦૧૦ ચંદ્રવદન

    Like

Leave a reply to venunad જવાબ રદ કરો