“ સાગર મહાત્મ્ય ”
રહ્યો ભલેને ખારો ખારો ઉસ ,
સમુદ્રતો રહેતો હરદમ ખુશ .
ન કોઈ ઉપાધી, ના કોઈ ઉભરાટ,
સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ ,
ઉદધિ તેના ઉર માંહી ,
કદી થતો નહી નિરાશ .
ઉમંગે ઉલ્લાસિત સદાય રહેતો,
ઉદરે રત્નો તે ઉપજાવતો રહેતો.
ઉદાર ચરિતની તે તો ઉદારતા,
મન તણી તેના જોવી ઉદાત્તતા!
દેવદાનવો તણા યુદ્ધમાં દેવા દાનવોને માત,
ઉપેન્દ્રએ ચીંધ્યો ઉપાય સમુદ્ર મંથનનો.
ઉદધિએ ધરીને સહનશીલતા કરી સહાય.
ત્યાગીને ઉદ્વેગ, ઉદ્દભવી આપ્યા રત્નો ચૌદ.
રાખીને અંતરે ઉચ્ચ ઉદ્દેશ વિશ્વકલ્યાણ અર્થે,
ઉદધિએ ઉર થકી વ્હાલી ઉદધિકન્યા,
શ્રીલક્ષ્મીનું શ્રીવિષ્ણુને દીધું કન્યાદાન.
બાપ સમા તેઓ સંબંધે છતાંય,
બની આસન પથરાયા શ્રી વિષ્ણુનું!
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
શ્રી પારુબહેન,
રહ્યો ભલેને ખારો ખારો ઉસ ,
સમુદ્રતો રહેતો હરદમ ખુશ .
ન કોઈ ઉપાધી, ના કોઈ ઉભરાટ,
સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ
સમગ્ર સૃષ્ટિ જો ખારાશ ( રાગ દ્વેષ ) પોતાનામાં છુપાવી ખુશ રહે
તો કોઈ ઉપાધી, દુખ, કડવાશ દુર કરી સમુદ્ર મંથનમાં જેમ રત્નો
પ્રાપ્ત થયેલ તેમ સુખ,આનંદ, પ્રમોદ,વૈભવ, પરમ સુખ, પ્રભુ પ્રાપ્તિ
જેવા રત્નો પામી શકે. સરસ કાવ્ય.
LikeLike
vising after a long time
Beautiful poem and meaningful words, never thought this way…!
LikeLike
Sunder vicharo ane ati sunder Nirupan
LikeLike
ન કોઈ ઉપાધી, ના કોઈ ઉભરાટ,
સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ
આ પંક્તિઓ ખૂબજ ગમી ગઈ, સરસ રચના.
LikeLike
સુન્દર રચના !!!
LikeLike