“કોણ?”

“કોણ?”

મારા અંતરમાં  જંતરી વગાડે છે કોણ?

મારા  સૂતેલા સોણલા  જગાડે છે કોણ?

મારા મનડામા ગીતો પ્રગટાવે છે કોણ?

મારા  હ્રુદિયાને ધીમે ધબકાવે છે કોણ?

મારી  કાયાને  શક્તિ અપાવે  છે કોણ?

આ  સૄષ્ટીમા  માયા  ફેલાવે  છે  કોણ?

તું કણ કણમા બિરાજે તો ય પૂછું છું કોણ?

-પી. કે. દાવડા

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to “કોણ?”

  1. jjkishor કહે છે:

    “મારા અંતરમાં જંતરી વગાડે છે કોણ?
    મારાં સૂતેલાં સોણલાં જગાડે છે કોણ?” સુંદર પંક્તિઓ !! “અંતર અને જંતરી” તથા “સૂતેલાં સોણલાં”માં શબ્દોની પસંદગી ધ્યાન ખેંચે છે. કાવ્યમાંનું ભાવજગત સ્પર્શી જાય છે.

    ૧૯૬૪ આસપાસ મારી જે રચનાઓ થઈ તેમાંની એક આ બે જ પંક્તીની ‘કોણ ?’ ( કે જે સુંદરમના કાવ્ય પરથી સુઝી હતી…)

    કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઉર્મીઓને જગાડે ?
    કોણ અણદીઠ હાથે હૃદયબીનના તાર હળવે રહીને વગાડે ?

    સુંદરમની રચનાના શબ્દો છે,

    “પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ નિરંતર હાસ ?” (‘નિરંતર’ છે કે ‘ચિરંતન’ છે તે યાદ નથી…આખું કાવ્ય ક્યાંકથી શોધીને મુકવા જેવું છે.)

    ધન્યવાદ.

    Like

  2. himanshupatel555 કહે છે:

    પિયુનીબેન તમારી પસંદગી પણ કાવ્ય જેટલી જ ગમી.

    Like

  3. nabhakashdeep કહે છે:

    વાહ! જંતર સાચે જ રણઝણ્યું. અભિનંદન દેવડા સાહેબ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. કાવ્‍ય માણ્યા પછી છેલ્‍લો પ્રશ્ર્ન (તું કણ કણમા બિરાજે તો ય પૂછું છું કોણ?)
    ઘણું કહી ગયો.

    Like

Leave a comment