“માનવી નું જીવન”
મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,
માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ .
ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,
તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .
ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,
ને વળી અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .
ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,
તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .
ક્યાંક વળી સામાજિક બંધનોની ગૂંચવણ ,
તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .
જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,
પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,
ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,
તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
Its too good
LikeLike
શ્રી પારુબહેન,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,
તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.
માનવ જીવન ને મૈત્રી અને સબંધોનું સુંદર પિષ્ટ પીંજણ
કાવ્યમાં દર્શાવી એક આદર્શ દ્રષ્ટાંત રૂપ કાવ્ય.
LikeLike
Your writings and pictures posted are nice and enjoyable.
LikeLike