“માનવી નું જીવન”

“માનવી નું જીવન”

મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,

માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ .
ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,

તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,

ને વળી અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .

ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,

તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .

ક્યાંક વળી સામાજિક બંધનોની ગૂંચવણ ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત ,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,

તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

પારૂ કૃષ્ણકાંત   “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “માનવી નું જીવન”

  1. શ્રી પારુબહેન,

    ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
    જો જાય છૂટી મનની આંટી ,

    તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
    બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

    માનવ જીવન ને મૈત્રી અને સબંધોનું સુંદર પિષ્ટ પીંજણ

    કાવ્યમાં દર્શાવી એક આદર્શ દ્રષ્ટાંત રૂપ કાવ્ય.

    Like

  2. venunad કહે છે:

    Your writings and pictures posted are nice and enjoyable.

    Like

Leave a comment