“મૌન”
મૌન તો બડું સર્વોત્તમ,
મૌન તે તો શાણી વાણી.
વાણીએ તો તેથી રાખવી,
સંયમની લગામ તાણી.
મૌન તે તો મનની શક્તિ,
મૌન ઉભારે કાર્યશક્તિ.
બોલી થકી થાય બખેડો,
બોલી થકી નહિ નિવેડો.
તલવારના ઘા રૂઝાય,
વાણી કડવી ના ભૂલાય.
મૌનતો સમર્થ તણું ભૂષણ,
ધરવું તે ઉત્તમ જાણી.
મૌન લે આત્મસંયમ માગી,
મૌન ધરે તે બડભાગી.
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
મૌન ઉભારે કાર્યશક્તિ.
બોલી થકી થાય બખેડો,
બોલી થકી નહિ નિવેડો.
વાણી કડવી ના ભૂલાય.
મૌનતો સમર્થ તણું ભૂષણ,
ધરવું તે ઉત્તમ જાણી.
મૌન ધરે તે બડભાગી.
મૌન ધરે તે બડભાગી.
Shuuuuuuuu!!!! શું બોલું તમેતો કહી દીધું, “ન બોલવામાં નવ ગુણ”. મજાની વાત રચનામાં સત્ય કરી, કહી છે.
“સાજ” મેવાડા
LikeLike
“મૌન તે તો મનની શક્તિ,
મૌન ઉભારે કાર્યશક્તિ.
બોલી થકી થાય બખેડો,
બોલી થકી નહિ નિવેડો.”
ખૂબ સચોટ વાત! મારા અલ્પ અનુભવ થકી પણ મેં એ જાણ્યું છે કે કોઈને યે કીધેલા કટુવચનો એ વ્યક્તિ ભૂલી જાય તોય આપણે નથી ભૂલી શક્તા. અને જગતમાં મોટાભાગના વિવાદો કડવી વાતમાંથી જ થાય છે અને વધુ બોલવાથી વકરે છે.. કોઈએ કહ્યું છે કે વિવાદનું છેલ્લું વાક્ય જો તમારે જ બોલવું હોય, તો આમ બોલવાનો પ્રયત્ન કરજો, “મને લાગે છે કે આપની વાત સાચી છે.”
LikeLike
બહેન,
મૌનમા લખેલી એકે એક પંક્તિ સનાતન સત્ય છે. મને મારા જીવનના ખૂબ મોડા પડાવમા આ વાત સમજાઈ, પણ જાગ્યા ત્યાંથી સવાર માની, ન બોલવું જોઈએ ત્યાં ચૂપ રહેવાની શરૂવાત કરી, ? અને wow, jackpot લાગી ગયો. જીવન સુખમય બની ગયું.
આપની આ પંક્તિઓ આત્મસાત કરે એ જરૂર સુખી થશે.
-પી.કે.દાવડા
LikeLike
excetaly maun ni vat khubaj saras kahichhe its very helpfull to avoid any problem keep MAUN”
LikeLike