“વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિત

“વૃદ્ધાવસ્થા”
વ્હાલેરા વડીલોને સમર્પિત

વહે જેમ મૃદુ સમીર હેમંતનો સરવર પરે

ઊછળીને ફુલાતા જે મોજા,

હળવા સ્પર્શ થકી તેના પ્રસરાઈ જતાં!

વૃદ્ધ વડીલોની ઠાવકી વાતે,

જુવાનીનાં જોશ સચવાઈ જતા!

જીવન સંધ્યા પછી પાનખર અમર્યાદ ,

 આરોગ્યને જોમ

લીલા પર્ણો જેમ દુર્લભ થતા!

મંદ ડગમગ અસ્થિર ડગલા,

જીર્ણ દેહ મંથર ગતિ!

ભલે ઝંખવાતી દ્રષ્ટી,

  પણ તેજસ્વી શીઘ્રબુદ્ધિ

  ને રહેતી શાણી વાણી!

મન માંહી ટમટમતી યાદો

 વીત્યા જમાનાની સોગાતો ! 

ભરી હ્રદયે અસીમ ચારુતા

 અમર્યાદ પ્રેમવર્ષા થકી નવી પેઢીઓ  ખીલવી જતા!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to “વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિત

  1. પિંગબેક: “વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિત | શબ્દોનુંસર્જન

  2. Dilip Gajjar કહે છે:

    પણ તેજસ્વી શીઘ્રબુદ્ધિ
    ને રહેતી શાણી વાણી! Sunder rachana..Piyuniji..

    Like

  3. narendra કહે છે:

    Vrudhhaavasthanu khubaj sanchu drashya , atisunder shabdo ane Prembhari rite raju karva mate Dhanyavad .

    Narendra

    Like

  4. શ્રી પારુબહેન,

    વીત્યા જમાનાની સોગાતો !

    ભરી હ્રદયે અસીમ ચારુતા

    અમર્યાદ પ્રેમવર્ષા થકી નવી પેઢીઓ ખીલવી જતા!

    સુંદર ભાવ સભર શબ્દો વડે વૃદ્ધાવસ્થાના ગુણ ગાતું અનન્ય કાવ્ય .

    Like

  5. Ramesh Patel કહે છે:

    સુંદર આદર ભાવ
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment